રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે હાઈવે ઉપર અને કોઝવે ઉપર પાણી ફરી વળતા જામનગર-કાલાવડનો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લામાં સ્ટેટ હાઈવે ૧, પંચાયત હસ્તકના ૨૧ અને અન્ય ૬ રસ્તા મળી કુલ ૨૮ રસ્તા બંધ થયા છે જયારે જામનગર જિલ્લામાં ૧૧ સ્ટેટ હાઈવે, ર૦ પંચાયત હસ્તકના હાઈવે અને અન્ય ૩ મળી કુલ ૩૫ રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ૧ સ્ટેટ હાઈવે, ૧૨ પંચાયત હસ્તકના હાઈવે મળી કુલ ૧૩ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જયારે અમરેલી-ભાવનગરમાં ૧-૧ રસ્તા અને પોરબંદરના બે રસ્તા બંધ કરવામાં આવતા સૌરાષ્ટ્રમાં કુલ ૧૩૧ ગામનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હોવાનું સતાવાર સુત્રોએ
જણાવ્યું છે.
No comments:
Post a Comment